Breaking NewsLatest

મોડાસા Apmc દ્વારા શેષ કૌભાડ દબાવવાના પ્રયાસો

માત્ર એક જ વેપારીને દોષિત બતાવી અન્ય કૌભાડીઓનો બચાવ કરવાનો કારસો

સહકારી નાયબ નિયામક દ્વારા નોટિસ પાઠવી ખુલાસો આપવા તાકીદ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

         અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી અને સૌથી મોટા મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કરોડોનું શેષ કૌભાડ સામે આવ્યા બાદ સતત આ કૌભાડીઓને બહાર પાડવાના બદલે સમગ્ર શેષ કૌભાડ દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મોડાસા Apmc માં કૌભાડ સામે આવ્યા બાદ નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અરવલ્લી દ્વારા મોડાસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અને ચેરમેન ને નોટિસ પાઠવવામાં આવી હતી અને માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સમગ્ર કૌભાડ અંગે ખુલાસો આપવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કૌભાડ અને કૌભાંડીઓ ને દબાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર ની નોટિસ બાદ APMC મોડાસા દ્વારા નોટિસનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે જેમાં apmc દ્વારા કંઇપણ જાતની તપાસ વિના અન્ય કૌભાંડીઓ ને બચાવવા માટે એકજ વેપારીને દોષિત બતાવી સમગ્ર મામલો દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ જિલ્લાના ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે.ખેડૂત એકતા મંચ દ્વારા બહાર પાડવામાં આવેલા શેષ કૌભાંડ દબાવી ખેડૂતોના હામી હોવાનો નીષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.કૌભાંડીઓ સામે પગલાં લેવાના બદલે તેમને બચાવતા હોય તે પ્રમાણે નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રારને જવાબ આપવામાં આવ્યો છે.મહત્વનું છે કે કૌભાડ સામે આવતાની સાથેજ મોડાસા Apmc દ્વારા તપાસ ના નાટક કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક 40 જેટલા વેપારી અને 4 વેપારી પક્ષના ડાયરેકટર સામે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમાં પણ જેની મિલીભગત થી સમગ્ર કૌભાડ થયું છે તેવા સેક્રેટરી ને જ તપાસ સોંપવામાં આવી હતી જેથી પહેલા દિવસથી જ સમગ્ર કૌભાડ દબાવવાના પ્રયાસો થયા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું અને હવે થયું પણ એવુજ છે.તપાસ કરી રહેલા સેક્રેટરી દ્વારા માત્ર એકજ વેપારીને દોષિત સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી બીજા કૌભાંડીઓ ને બચાવી શકાય.

ખેડૂતો સાથે અન્યાય,કૌભાંડીઓને ઘી – કેળા

રાજ્ય ભરમાં મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના શેષ કૌભાડના પડગા પડ્યા હોવા છતાં તપાસ દબાવી દોષિતોને બચાવવાના પ્રયત્નો કરી તેમને ફરી કૌભાડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે જિલ્લા ખેડૂતોને ન્યાય ની આશા છે જ્યારે   સત્તાધીશો મૃક પ્રેક્ષક બની સમગ્ર તમાશો જોઈ રહ્યા છે.જોકે સમગ્ર કૌભાડ ની તપાસ જેને આપવામાં આવી છે તેવા સેક્રેટરી પરજ મિલીભગત નો આક્ષેપ થયો છે.જો સાચા અર્થમાં ખેડૂતોને ન્યાય આપવો જ છે તો કેમ યોગ્ય કાર્યવાહી કરવાને બદલે કૌભાડ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તે સવાલ પણ ખેડૂતોના મનમાં થઈ રહ્યો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *