Breaking NewsLatest

રામ મંદિર નિર્માણ માટે 60 વર્ષથી ગુફામાં રહેતા ફક્કડ બાબા નામથી ઓળખાતા સાધુએ દાનમાં આપી 1 કરોડની રકમ..

હરિદ્વાર સંત સ્વામી શંકરદાસ નામના આ સાધુએ રામમંદિર નિર્માણ માટે એક બે લાખ નહી પરંતુ પુરા એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. જ્યારે તેમણે બુધવારે બેઁક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાન્ચમાં 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે બેઁકના બધા જ કર્મચારી આ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. ત્યારબાદ બેઁકના કર્મચારીઓએ તેમનું બેઁક એકાઉન્ટ ચેક કરતા માલુમ પડ્યું કે આ ચેક ખરેખર સાચો છે ફેક નથી અને તેમના ખાતામાં રકમ છે પણ. ત્યારપછી આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે બેઁક કર્મચારીએ RSSના પદાધિકારીઓને બોલાવ્યા.

RSSના પ્રમુખ સુદામા સિંઘલ જણાવે છે કે, ” જેવી અમને આ અંગે સૂચના મળી અમે તરત જ બેઁકમાં પહોંચ્યા. સાધુ સીધેસીધું દાન ન કરી શકે આથી તે ચેક અમને આપવામાં આવ્યો અને અમે તેમને દાનની રસીદ આપી. હવે બેઁક મેનેજર રામ મંદિરના ટ્રસ્ટના એકાઉન્ટમાં આ ચેક જમા કરશે.”

મહાદાન આપનારા આ સાધુનું નામ સંત સ્વામી શંકરદાસ છે. તેઓ 83 વર્ષના છે અને છેલ્લા 60 વર્ષથી ઋષિકેશની એક ગુફામાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો આ સાધુને ‘ફક્કડ બાબા’ના નામે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ગુરુ ટાટવાળા બાબાની ગુફામાં જે અનુદાન આવે છે તેમાંથી તેમણે આ દાનની રકમ એકઠી કરી છે. આ દાનમાંથી જ તેમનો જીવન નિર્વાહ ચાલે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *