bhavnagarBreaking NewsGujarat

ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ.રાત્રે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં અંધારપટ છવાયું.

ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવતા અંધકાર છવાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાની બજારો, ઘરો, શેરીઓ અને ઓફિસોમાં 7.45 વાગ્યે બે મિનિટ સાયરન વાગતાની સાથે અંધકાર છવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સીવીલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે, સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોએ ભાવનગરમાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી સ્વેચ્છાએ ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કર્યા હતા. જ્યારે 8.15 વાગ્યે સાયરન વાગતા ફરી ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો શરૂ કરી દીધા હતા.

બ્લેક આઉટ કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં મોકડ્રિલના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ પણ 7.45 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં રાત્રિ 7.45 વાગ્યે સાયરન વાગતાની સાથે મુખ્ય બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનોની લાઇટો બંધ કરી હતી. આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગો પર પણ અંધકાર છવાઈ ગયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 369

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *