bhavnagarBreaking NewsGujarat

પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલે ભાવનગર શહેરમાં આવેલ હોટેલનાં સંચાલકો સાથે મીટીંગ યોજી ૩૧મી ડિસેમ્બરને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી.

તા.૨૨/૧૨/૨૦૨૩ના રોજ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓ તરફથી ભાવનગર શહેર માં કાર્યરત હોટેલ સંચાલકો સાથે ૩૧મી ડિસેમ્બરને ધ્યાને લઇ કોન્ફરન્સ હોલ,એસ.પી.કચેરી,ભાવનગર ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ.આ મીટીંગમાં ભાવનગર શહેરમાંથી ૬૦ થી ૬૫ જેટલાં હોટલ સંચાલકો હાજર રહેલ.જે તમામ સંચાલકોને આવકારી ડો.હર્ષદ પટેલ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓએ આગામી દિવસોમાં આવનાર ૩૧મી ડિસેમ્બરને ધ્યાને લઇ શહેરની હોટલોમાં આવતાં બહારના પ્રવાસી/યાત્રીઓની ગુજરાત પોલીસ દ્વારા બનાવવામાં આવેલ પથિક સોફટવેરમાં કાયદેસર નોંધણી કરાવવા માટે,વિદેશી નાગરિકો આવે ત્યારે ફોર્મ-C ડેટાની નોંધ કરવા તેમજ સલામતી જળવાય રહે તેના પર ધ્યાન આપવા અને કોઇ શંકાસ્પદ ઇસમ કે શંકાસ્પદ ગતિવિધી જણાય આવ્યે તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.આ ૩૧મી ડિસેમ્બરને ધ્યાને રાખી હોટેલમાં તથા હોટલની બહારની બાજુએ લગાવવામાં આવેલ C.C.T.V. કેમેરા ચકાસણી કરી લેવા સુચના કરવામાં આવેલ.

આમ,૩૧મી ડિસેમ્બરને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુથી અગમચેતીના પગલાંરૂપે ભાવનગર, પોલીસ અધિક્ષકશ્રીએ ભાવનગર શહેરમાં કાર્યરત હોટલના સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.ગુજરાત પોલીસની આગવી પહેલરૂપ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવેલ હતી.

આ મીટીંગમાં પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગર,નાયબ પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગર વિભાગ,મહુવા વિભાગ તથા પાલીતાણા વિભાગ,ભાવનગર શહેરનાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રીઓ તથા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી./એસ.ઓ.જી./એલ.આઇ.બી.ભાવનગરનાઓ હાજર રહેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *