bhavnagarBreaking NewsGujarat

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર શહેર કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા સંપન્ન ૧૮૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો.

ભાવનગરમાં શહેર કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા આજે સંપન્ન થઇ છે.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ભાવનગર દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ તા.૦૪ જાન્યુઆરી ૨૦૨૪ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ કુલ ૯ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૬૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં લોકનૃત્યની કુલ ૧૫ ટીમોએ ભાગ લીધેલ હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે કુલ ૧૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ૪૧ ટીમો પૈકી ગરબામાં ૧૩ ટીમ,રાસમાં ૧૦ ટીમ,સ્કુલબેન્ડમાં ૨ ટીમ અને સમુહ ગીતમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.

આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઇ પટેલ,નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ,જિલ્લા રમતગમત અધિકારીશ્રી નરેશભાઇ ગોહિલ,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશકુમાર મેસવાણીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ અને શ્રી વિશાલભાઈ જોષી દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 389

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *