Breaking NewsCrime

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના પોલીસ સ્ટેશનનાં હત્યાનાં ગુન્હામાં સજા ભોગવતાં પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

➡ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી/ પેરોલ ફર્લો. સ્કવોડ/બગદાણા પોલીસ સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કોન્સ. શકિતસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,ગીર સોમનાથ જીલ્લાનાં ઉના પોલીસ સ્ટેશનનાં ખુનનાં ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતાં પાકા કામનાં કેદી યોગેશભાઇ કેશુભાઇ ગોહિલ રહે.નાના ખુંટવડા તા.મહુવા જી.ભાવનગરવાળા વચગાળાની રજા ઉપર ગયેલ.ત્યાર પછી તે સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ.જે હાલ તેનાં ગામમાં હાજર છે. જેથી સ્ટાફનાં માણસોને હકિકતની સમજ કરી નાના ખુંટવડા ગામે આવી તપાસ કરતાં યોગેશભાઇ કેશુભાઇ ગોહિલ ઉ.વ.૪૮ રહે.નાના ખુંટવડા તા.મહુવા જી.ભાવનગરવાળા તેનાં ઘર પાસેની શેરીમાંથી હાજર મળી આવેલ.તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, ડ્રાયવર સુરસિંહ ગોહિલ તથા બગદાણા પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ. યુવરાજસિંહ સરવૈયા,કિશોરભાઇ કંટારીયા વિગેરે માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

1 of 382

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *