bhavnagarBreaking NewsCrimeGujarat

છેલ્લાં દોઢ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર હત્યાના ગુન્હામાં સજા પામેલ પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,બોરતળાવ (ડી ડીવીઝન) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૧૭/૨૦૧૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી ફરાર ઇકબાલ ઉર્ફે ઇદ્દીશ ઉર્ફે ઇદો બકરી રહે.કુંભારવાડા હાઉસીંગ સોસાયટી,ભાવનગરવાળા મોરબી,વીસીપરા વિસ્તારમાં રહે છે.જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબી ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી છેલ્લાં દોઢ વર્ષથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ.

ફર્લો રજા જમ્પ પાકા કામના કેદીઃ- ઇકબાલ ઉર્ફે ઇદ્દીશ ઉર્ફે ઇદો બકરી યુસુફભાઇ પઠાણ ઉ.વ.૨૯ રહે.બ્લોક નંબર-૩૧૦, કુંભારવાડા હાઉસીંગ સોસાયટી,ભાવનગર હાલ-વીશીપરા વિસ્તાર,મસ્જીદ વાળો ચોક,મોરબી

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી બાબાભાઇ હરકટ,વિશ્વજીતસિંહ ઝાલા,એજાજખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 426

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *