bhavnagarBreaking NewsCrimeGujarat

નડિયાદ ખાતે નશા માટે આયુર્વેદિક સીરપ કાલ મેઘાસવ અસવ-અરીષ્ઠા પીધા બાદ થયેલ મૃત્યુના બનાવ અંગે રાજયભરમાં આપવામાં આવેલ આયુર્વેદિક સીરપના નામે વેચાતી બોટલ ધારક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલ ડ્રાઇવ દરમ્યાન કાલ મેઘાસવ અસવ-અરીષ્ઠા બોટલ નંગ-૦૫ તથા અન્ય આયુર્વેદિક સીરપના નામે વેચાતી બોટલ નંગ-૧૦ મળી કુલ બોટલ નંગ-૧૫ કબ્જે કરતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ઉપરોકત બનાવ સંદર્ભે ડ્રાઇવ સબબ કામગીરી કરવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળેલ માહિતી આધારે ભાવનગર,બાલયોગીનગર સામે આવેલ વચ્છરાજ કોલ્ડ્રીકસ નામની દુકાનમાં તથા ભાવનગર,ખેડુતવાસ,બુધ્ધ સર્કલ,મચ્છીબજાર ચોકમાં આવેલ ગીરનારી સોડા સેન્ટર નામની દુકાનમાં રેઇડ કરી આયુર્વેદિક સીરપના નામે વેચાતી અને નડિયાદમાં નશા માટે ઉપયોગમાં લેવાયેલ સીરપની નીચે મુજબની બોટલો કબજે કરી દુકાનદારો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

પકડાયેલ દુકાનદારઃ-

1. હિંમતભાઇ દુલાભાઇ સોલંકી ઉ.વ.૫૨ ધંધો- વેપાર રહે.પ્લોટ નંબર-૩૫,બાલયોગીનગર,ઘોઘા રોડ,ભાવનગર
2. રમેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૫૫,મચ્છીબજાર ચોક,બુધ્ધ સર્કલ,ખેડુતવાસ,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. નંબર-૧ પાસેથી કાલ મેઘાસવ અસવ-અરીષ્ઠા ૩૭૫ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૫ કિ.રૂ.૭૫૦/-
2. નંબર-૨ પાસેથી ટોર્કયુ અસવ વીથ હર્બલ એકસટ્રેકટસ ૪૦૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૧૦ કિ.રૂ.૧,૫૦૦/- મળી કુલ રૂ.૨,૨૫૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા,મજીદભાઇ શમા,સંજયસિંહ ઝાલા,અલ્ફાઝ વોરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *