bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ વાઘવદરડા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે ઉભા હોવાની મળેલ માહિતી આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવેલ.તેઓને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. પ્રતાપભાઇ ઉર્ફે પતાભાઇ નગાભાઇ ગોહિલ ઉ.વ.૬૬
2. વિક્રમભાઇ પ્રતાપભાઇ ગોહીલ ઉ.વ.૩૪
3. જુવાનસિંહ ઉર્ફે ગોપાલ પ્રતાપભાઇ ગોહિલ ઉ.વ.૨૧ રહે.ત્રણેય ગળથર તા.મહુવા જી.ભાવનગર

કરેલ ગુન્હોઃ-
બગદાણા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૩૦૩૨૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૩૭,૫૦૪,૧૧૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 426

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *