પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારે સવારે એક રહસ્યમય ઘટના બની હતી. જાખોત્રા ગામના જ઼ પાડોશીના પ્રેમમાં પાગલ ગીતા આહીર નામની યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે ખૂની ખેલ ખેલ ને અંજામ આપ્યો હતો. ગીતા અને પાડોશી ભરત બન્ને એકબીજાના પ્રેમમાં હોય ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું, ગીતા નામની યુવતી પરિણીત છે તેને લાગ્યુ કે તે ભાગી જશે તો તેના પરિવારજનો તેને શોધી લેશે જેથી આ બન્ને પ્રેમી પંખીડાએ એક 56 વર્ષીય વૃદ્ધ આધેડની હત્યા કરીને તેને સ્ત્રીના વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. જેથી ગામમાં અને પરિવારજનોને લાગે કે આ લાશ ગીતાની છે અને તે સળગીને મોતને ભેટી છે. પરંતુ ઘટનામાં લાશ અર્ધ બળેલી હાલતમાં રહેતા બન્નેનો ભાંડો ફૂટી ગયો હતો. જાખોત્રા ગામમાંથી અર્ધ હાલતમાં બળેલી વૃદ્ધની લાશ મળી હતી. જેને જોતા બનાવ હત્યાનો હોવાની શક્યતા જણાઈ રહી હતી. બીજી તરફ સુરેશભાઈ આહીરની પત્ની ગીતાબેન (ઉ.વ. 22) ગુમ થયા હતા. તેની શોધખોળ દરમિયાન કેસરી કલરનો ચણીયો અને ચાંદીની ઝાંઝરીના આધારે આ લાશ ગીતાની હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે, બાદમાં આ લાશ અજાણ્યા પુરુષની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તપાસ તેજ કરતા એક બાદ એક ચોંકાવનારા અનેક ખુલાસા થયા હતા. પોલીસની તપાસમાં આ લાશ હરજીભાઈ સોલંકીની હોવાનું ખુલ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમે તેનું ગળું દબાવી હત્યા કરી અને બાદમાં લાશને સળગાવી દીધી હોવાનો પોલીસે અનુમાન લગાવ્યું હતું.
જોકે, ઘટનામાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાંતલપુર પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે સુરેશના ઘરની પાસે વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવી હતી. જે લાશને મહિલાના કપડા પહેરાવેલા હતા. પોલીસે તપાસ કરતા આ લાશ પુરૂષની હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ ગીતા કે જે સુરેશની પત્ની છે તે પણ ગુમ થયેલા હતા. જે અંગે તપાસ કરતા ગીતાને પોતાના પાડોશમાં રહેતા ભરત સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ બન્ને સાથે મજૂરી કરતા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જે બન્ને પાલનપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યાં હતા. જેઓની પુછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ જે અજાણી લાશ મળી હતી તે અંગે પણ પોલીસે તપાસ કરતા તે રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધની હોવાનું સામે આવ્યું હતું. જેનું નામ હરજીભાઈ સોલંકી હતું. જે હાલ પિપરાળાના તેમજ મુળ સાંતલપુરના વૌવાના રહેવાસી હતા.
ગુજરાતી પ્રેમી પંખીડાએ હિન્દી ‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ પ્લાન બનાવ્યો હતો:
સમગ્ર ઘટનાને લઇને પોલીસે ગીતા અને ભરતની પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો સામે આવ્યો. ગીતા અને ભરત બન્ને પાડોશી છે અને એકબીજાના પ્રેમ સંબંધમાં હતા. ગીતાએ થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. જે ફિલ્મ જોઈને એક ખોફનાક પ્લાન તૈયાર કર્યો હતો અને આ હત્યાંને ફિલ્મી ઢબે અંજામ આપ્યો હતો.
ગીતાના પરિવારજનો શોધખોળ ન કરે તે માટે એક નિર્દોષ માણસની હત્યા કરી દીધી :-
ગીતા અને ભરતનો પ્રેમ આંધળો હોય ગીતાએ કહ્યું કે, મારે તારી સાથે જીવન જીવવું છે એટલે આપણે બન્ને ભાગી જઈએ પણ જો આપણે ભાગશું ત્યારે પરિવારના લોકો મને શોધીને પરત લઈ આવશે. જેને લઇને તેઓએ એક પ્લાન બનાવ્યો હતો કોઈ અજાણ્યા પુરૂષ અથવા સ્ત્રીની લાશ લઈ આવશું અને એને ગીતાના કપડા પહેરાવી એના વાડામાં એ વ્યક્તિને સળગાવીને આપણે બન્ને ભાગી જઈશું. જેથી પરિવારના લોકોને એવુ લાગશે કે ગીતા સળગીને મરી ગઈ છે. જેથી તે લોકો મારી શોધખોળ નહીં કરે.આવા બદ ઈરાદા થી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી નિર્દોસ નો જીવ લીધો હતો.
વૃદ્ધને ખેતર સિમ વિસ્તારમાં લઈ જઈ ગળુ દબાવ્યું હતું. સોમવારે બપોરના સમયે ભરત મુંબઈથી આવ્યો હતો. ભરતે આજુબાજુના ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને તે પોતે લઈ જઈ શકે અને તેને મારીને સ્ત્રીના કપડા પહેરાવીને સળગાવી શકે. ત્યારે શોધખોળ દરમિયાન ભરત આહીરને રાતે એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યો હતો. જેને ભરત બાઈક પર લઈ ગયો હતો. જે વૃદ્ધને ખેતરમાં લઈ જઈ ગળુ દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયો હતો. જે બાદ ભરતે તે વૃદ્ધને બાઈક પાછળ દોરડુ બાંધીને બેસાડીને જાખોત્રા ગામની સીમમાં લઈ આવ્યો હતો. જ્યા આ વૃદ્ધને તળાવ પાસે મુકીને ભરત ચાલ્યો ગયો હતો.
પેટ્રોલ છાંટી લાકડા લાવીને આધેડ ની લાશને સળગાવી કરપિંણ હત્યા કરી:-
આ, સમગ્ર ઘટનામાં રાત્રે એક વાગ્યે ભરતે ગીતાને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. જે બાદ ગીતા રાત્રે જ પોતાના કપડા અને પેટ્રોલ લઈને જ્યા વૃદ્ધ વ્યક્તિ હતો ત્યા આવી પહોંચી હતી. ત્યા બન્નેએ લાશને ગીતાના કપડા પહેરાવ્યાં હતા અને પગમાં પાયલ પહેરાવી હતી. જે બાદ બન્ને લોકો આ વ્યક્તિને ઉંચકીને એક વાડો છે ત્યા લઈ આવ્યાં હતા. જ્યા પેટ્રોલ છાંટી આજુબાજુમાંથી લાકડા લાવીને તે વૃદ્ધની લાશને સળગાવી દીધી હતી. જે બાદ બન્ને બાઈક લઈને ભાગી ગયા હતા. બાઈક રાધનપુર બસ સ્ટેશનમાં મુકીને પાલનપુર રેલવે સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાથી રાજસ્થાન જોધપુર ભાગી જવાના પ્લાન સાથે ટિકિટ પણ બુક કરાવી હતી. જોકે, પોલીસે બન્નેને પાલનપુર રેલવે સ્ટેશનથી જ઼ ઝડપી લીધા હતા.અને પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન બન્ને પ્રેમીઍ આ પ્રકારના પ્લાનની કબુલાત કરી હતી.
વૃદ્ધની લાશ અર્ધ હાલતમાં સળગીને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો:-
મહત્વનું છે કે, આરોપીએ જે આધેડ વયના વ્યક્તિ ની કરપિંણ હત્યા કરી હતી તે કોણ વ્યક્તિ હતો તેની કોઈ જાણ ન હતી. ગીતા એક લિટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે તેવુ નક્કી કરાયું હતું. જોકે, ભરત વધુ પેટ્રોલ લઈ આવી શક્યો ન હતો. જેથી એક લિટર પેટ્રોલમાં જ બન્નેએ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લાશ સંપૂર્ણપણે સળગી શકી ન હતી. જે આધારે તાત્કાલીક ખબર પડી ગઈ કે આ સ્ત્રીની નહીં પણ પૂરૂષની લાશ છે.
પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ઼ આરોપીને ઝડપી પાડી પ્રેમિની અટકાયત કરી:-
જાખોત્રા ગામે જે સમગ્ર ઘટના બની હતી ઍ અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક, રાધનપુર dysp સહીત lcb પોલીસ ટિમ નિગરાની હેઠળ પોલીસ તપાસ તેજ કરાઈ હતી અને LCB ટિમ સહિતની પોલીસ ટિમો દ્વારા તપાસ તેજ કરાતા પાલનપુર રેલવે સ્ટેશન થી રાજસ્થાન જવાની ફિરાકમાં પ્રેમી હતા તે સમયઍ સમય સૂચકતાએ પોલીસે પ્રેમીને દબોચી લીધા હતા. આમ,ગણતરીના કલાકોમાં જ઼ આ પ્રેમિની અટકાયત કરી લીધી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે સમગ્ર ઘટનાને ફિલ્મી ઢબે અંજામ આપતાં પ્રેમીની અટકાયત કરી લીધી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
પકડાયેલ ઈસમોના નામ સરનામા:-1. ભરતભાઈ આહીર (ઉ.વ. 21), રહે. જાખોત્રા, તા. સાંતલપુર, જિ. પાટણ. 2. ગીતાબેન સુરેશ આહીર (ઉ.વ. 22), રહે. જાખોત્રા, તા. સાંતલપુર, જી. પાટણ.