bhavnagarBreaking NewsCrimeGujaratmahisagar

મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો એલ.સી.બી.ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન A.S.I. યુસુફખાન પઠાણ તથા P.C.વિશ્વજીતસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ કે,મહિસાગર જિલ્લાના સંતરામપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૭૨૩૦૮૫૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી તથા ભોગ બનનાર આરવ ફલેટ,મેઘાણી સર્કલ,ભાવનગર ખાતે રહે છે.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી તથા ભોગ બનનાર હાજર મળી આવતાં તેઓને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.જે અંગે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-
રાજેશભાઇ બાબુભાઇ તાવિયાડ ઉ.વ.૨૩ ધંધો-કડિયાકામ રહે.ખોડદરા તા.સંતરામપુર જી.મહિસાગર હાલ-આરવ ફલેટ,મેઘાણી સર્કલ,ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી યુસુફખાન પઠાણ,વિશ્વરાજસિંહ ઝાલા,પાર્થભાઇ ધોળકિયા,મીનાજભાઇ ગોરી,જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *