Devotional

અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

અંબાજી, સંજીવ રાજપૂત: કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અંબાજી ખાતે તારીખ ૧૫/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, હડાદ રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે.

જેમા તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ભાવિન સોલંકી તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ ઈન્દિરાબેન શ્રીમાળી તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ અરવિંદ વેગડા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ૦૩:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ નો રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહે તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ

અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *