Devotional

અંબાજી થી સુરત પ્રથમ એસી વોલ્વો બસ આજથી શરૂ, પુજન અર્ચન કરીને વિધિવત પ્રારંભ

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છેલ્લું એસટી ડેપો છે, ત્યારે અંબાજી ખાતે અન્ય ડેપો અને અન્ય જિલ્લાથી અલગ-અલગ રૂટ ની બસ આવતી હોય છે, પરંતુ સૌથી નવાઈની વાત એ હતી કે અત્યાર સુધી એકપણ વોલ્વો બસ અંબાજી આવતી ન હતી,

ત્યારે આજે ગુજરાતનાં વાહન વ્યવહાર મંત્રી ના જન્મ દિવસે જ અંબાજી થી સુરત એસી વોલ્વો બસ ની શરુઆત થઈ હતી. અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત પૂજન અર્ચન કરીને બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

આ પ્રસંગે અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને અંબાજી એસટી ડેપો મેનેજર સહિત વિવિધ લોકો જોડાયા હતા. બસના ડ્રાઇવર પ્રતિક વ્યાસનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંબાજી એસટી ડેપો ની વાત કરવામાં આવે તો આ એસટી ડેપો છેલ્લા ચાર વર્ષથી હંગામી ધોરણે ચાલી રહ્યો છે, કારણ કે આ બસ ડેપો ને છેલ્લા ચાર વર્ષ અગાઉ તોડવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી નવીન એસટી બસ નું બિલ્ડીંગ બન્યું નથી,

ત્યારે આ હંગામી એસટી ડેપો પણ થોડા દિવસો બાદ જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે તે અગાઉ આજરોજ આજે બપોરે 3 કલાકે અંબાજી એસટી ડેપો મેનેજર કે.પી. ચૌહાણ અને ડેપોના સ્ટાફ લોકોની હાજરીમાં અંબાજી થી સુરત નવીન એસી વોલ્વો બસ આવી પહોંચી હતી. અંબાજી મંદિરના બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત પૂજન અર્ચન દ્વારા બસની પૂજા કર્યા બાદ બસ બપોરે 3:30 કલાકે સુરત માટે રવાના થઈ હતી અને આ બસ રાત્રિના 1: 30કલાકે સુરત ખાતે પહોંચશે,

અત્યાર સુધી અંબાજી ખાતે સ્લીપર અને એસી બસ ચાલતી હતી,પરંતુ પ્રથમ વખત એસી વોલ્વો બસ સીટીંગ શરૂ થતા અંબાજી ના લોકોમાં અને બહારથી આવતા ભક્તોમાં ભારે ખુશી જોવા મળી હતી.

:- આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ :-

આજે ગુજરાત સરકારના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોઈ આજથી અંબાજી થી સુરત એસી વોલ્વો બસ શરૂ થઈ હતી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું ગામ પણ સુરત છે અને તેઓ મૂળ બનાસકાંઠા ગામના વતની છે.

નવીન એસટી બસ ડેપો આગામી દિવસોમાં જૂની કોલેજ ખાતે હંગામી ધોરણે શરૂ થશે અને નવીન એસટી ડેપો બિલ્ડીંગ આગામી દિવસોમાં જૂની કોટેજ હોસ્પિટલ ખાતે બનવાની શરૂઆત થવાની છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *