Devotional

સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજી પધાર્યા,અંબિકા ભોજનાલય માં પ્રસાદ લીધો

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ અંબિકા ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

ભોજનાલય માં શ્રદ્ધાળુઓનો માના પ્રસાદનો આનંદ માણી રહ્યા છે, દરરોજ 5000 કરતા વધારે માઈ ભક્તો ભોજન લઈ રહ્યા છે .
શરૂઆતના તબક્કામાં જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા આ લાભ લેવામાં આવ્યો છે,ત્યારે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે શ્રી અંબિકા અન્નક્ષેત્ર ખાતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી.

ગાયિકા અનુરાધા પોડવાલ સૌ પ્રથમ મા અંબે ના દર્શન કર્યા હતા ત્યારબાદ અંબિકા ભોજનાલય ની મુલાકાત લઈ ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. તેઓએ જણાવ્યું કે મને માં અંબા પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *