Devotional

અંબાજી નું સૌથી ભ્ર્ષ્ટ કોમ્પલેક્ષ ઍટલે BSCC ,જ્યા દબાણ દૂર થાય છે અને ફરી દબાણ લાગી જાય છે, શું દર મહિના નું સેટિંગ કરવામાં આવ્યું ?

અંબાજી ખાતે બસ ડેપો બાર આવેલુ BSCC કૉમ્પ્લેક્ષ જે નિગમ અને દુકાન ધારકો વચ્ચે લીઝ /સબ લીઝ કરાર મુજબ કરાર મા થયેલ એરીયા નો જ ઉપયોગ કરવાનો રહે છે તેની બહારના એરિયા નો દુકાન ધારકોએ ઉપયોગ કરવાનો રહેતો નથી તેમ છતા આ BSCC દુકાન ધારકો દ્વારા બહારના ભાગે ગેરકાયદેસર રીતે દબાણ કરવામા આવેલ છે જે લીઝ કરાર વિરુદ્ધ છે જેથી દુકાન ધારકો દ્વારા તાત્કાલિક અસરથી બિન અધિકૃત દબાણ સ્વખર્ચે દૂર કરવા જણાવવાનું આવે છે ,આવી નોટિસો તો એસ.ટી ડેપો દ્વારા ઘણી અપાઈ પણ દબાણ તો પાછુ લાગી જાય છે .ચાલતી ચર્ચા મુજબ દુકાનદાર નું કયા કર્મચારી સાથે સેટિંગ કરવામાં આવ્યું તે એક મોટો વિષય છે

એસટી ડેપો દ્વારા જે નોટિસ અપાઈ છે તેમા લખ્યુ છે કે ગેર કાયદેસર દબાણો કે અનઅધિકૃત બાંધકામ દૂર કરવામા નહિ આવે તો તમારા દ્વારા કરવામા આવેલ ગેર કાયદેસર દબાણ /બાંધકામ તમારા ખર્ચે અને જોખમે દૂર કરવામા આવશે જે થકી જે કોઈ નુકશાની /હાનિ થવા પામશે તેની સઘળી જવાબદારી તમારા શીરે રહેશે.તેમજ તમારો લીઝ કરાર / સબ લીઝ કરાર કરાર ના પેઝ નંબર ૭ ની શર્ત નંબર ૨ અન્વયે રદ કરવામા આવશે ,ત્યારબાદ તમારી કોઈ લેખિત /મૌખિક રજૂઆતો ધ્યાન પર લેવામા આવશે નહિ જેની નોંધ લેવી.

@@ગુરુવારે દબાણ હટાવવા આવ્યું. તો પાછુ નહિ લાગે તેની શું ગેરેન્ટી તેની દેખરેખ કોણ રાખશે @@

એસટી વિભાગ દ્વારા ૨૨ ફેબ્રુઆરી એ દબાણ દૂર કરાયું પણ પાછું દબાણ નહિ લાગે તેની ગેરંટી શુ ડેપો મેનેજરે લીધી છે કે પછી અગાઉ ની જેમ દબાણ હટ્યા બાદ ફરી દબાણ લાગી જશે,આ બિલ્ડીંગ બીયું પરમિશન વગર કેમ ચાલે છે કેમ આમા ફાયરની કોઈ જ વ્યવસ્થા નથી જો કોઈ મોટી ધટના બને તો તેની જવાબદારી કોની ?

શું આના માટે જવાબદાર એસ ટી વિભાગ કે પછી દુકાનદાર તો ખુલાસો કરવામાં આવે.આ કોમ્પ્લેક્સ માં પાર્કિંગ ની જગ્યા વાહન માટે જગ્યા હોય છે પણ તે દબાણ કેમ કે પછી નોટો ની વરસાદ થયો શું કર્મચારીઓ પણ નોટો ભાન ભૂલી જાય છે કે શું ???

@@ આવી નોટિસો ઘણીવાર આપી કેમ કરાર ની શરતો પ્રમાણે લીઝ રદ કરાતી નથી @@

અંબાજી એસટી ડેપો અને એસટી ડેપો ની આગળ આવેલા આ કોમ્પ્લેક્સ માં અવારનવાર એસટી વિભાગ તરફથી નોટિસ અપાઈ છે પણ કાયદેસરની કાર્યવાહી કેમ કરાતી નથી.શું આ એસટી વિભાગ ની લાપરવાહી કે શું???… દુકાનદાર ને સાથે સેટિંગ ડોટ કોમ કરને રસ મલાઈ માં રસ છે કે પછી આવનારા સમયમાં દબાણ પાછું લાગશે કે પછી નહીં લાગે તે એક ચર્ચા નો વિષય ઉઠવા પામ્યો છે

રિપોર્ટ…..અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *