Gujarat

અંબાજી મંદિરમાં રામ ભક્તિ, શક્તિ સેવા કેન્દ્રના બાળકોએ મા અંબાના મંદિરમાં સફાઈ કરી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં રાજ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિર માં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

અંબાજી મંદિરમાં રોજેરોજ માતાજીના મંદિર પરિસરમાં સફાઈ થાય છે. હાલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે અંબાજી મંદિરમાં આજે સવારે શ્રી શક્તિ સેવા કેન્દ્રના બાળકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વાત કરવામાં આવે તો અંબાજી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી શક્તિ સેવા કેન્દ્રના નેજા હેઠળ ગબ્બર ઉપર વર્ષોથી ભીખ માંગતા બાળકોને ભિક્ષા વૃતિથી મુક્ત કરીને ભણવામાં જોડવામાં આવ્યા છે અને હાલમાં આ બાળકો ઘણા બધા મેડલ પણ લઈને આવ્યા છે.

અંબાજી મંદિર પરિસરમાં શક્તિ દ્વારથી મંદિર સુધી અલગ અલગ જગ્યા ઉપર શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા.અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા હાજર રહ્યા હતા અને ટીડીઓ કે .સી. પંડ્યા પણ હાજર રહ્યા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 37

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *