Breaking NewsLatest

અંબાજી કોવિડ સેન્ટર મા ઍક મહિલાનુ અને પાલનપુર ખાતે અંબાજી ના યુવાન નુ મોત

(અમિત પટેલ.અંબાજી)
અંબાજી ખાતે હાલમા કોરોના કેસ ના સંખ્યામા ઘટાડો થયો છે અને કોરોના કેસ પણ ગૂજરાત ખાતે ઘટી રહ્યાં છે ત્યારે આજે સવારે અંબાજી કોવિડ સેન્ટર ખાતે સારવાર લઈ રહેલી મહિલાનુ મોત થયું હતું અને અંબાજી આઠ નંબર વિસ્તારમાં ઠાકોર ભવન પાછળ રહેતા એક યુવાન ભાઈ નુ પાલનપુર સિવિલમાં મૃત્યુ થયું હતું.
અંબાજી ના લોકોએ ખૂબ તકેદારી અને સાવધાની રાખવાની જરુર છે અને હાલમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કામ વગર ઘર ની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અંબાજી આઠ નંબર વિસ્તારમાં રહેતી વિધવા માતાએ પોતાના સૌથી નાના પૂત્ર ને ખોયો છે અને તેમના પરિવાર પર આભ તુટી પડ્યું હતું,ભગવાન તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે

@@કોઈપણ તકલીફ જણાયતોએમબીબીએસ કે સરકારી હોસ્પિટલ જવુ@@

હાલમા લોકોને કોરોના કહેર વચ્ચે શરીર મા કોઈપણ જાતની તકલીફ કે દુખાવો થાય તો તેમને સારવાર માટે અનુભવી એમબીબીએસ કે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા જવું અને કદાચ પ્રાયવેટ હોસ્પીટલ ખાતે જવાનું થાય તો અનુભવી ડિગ્રી વાળા ડોકટર પાસે જવું જોઇએ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *