Breaking NewsLatest

અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત

અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમગ્ર કામગીરી તાદીકે હાથ ધરાઇ
*****************
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 40 પથારીની સુવિધા  સહિતના અલાયદા બે વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા
………………………….
તાઉ’તેની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી ૪૦ પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તાઉ’તે ના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની સૂચના થી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલાયદા બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં ૪૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આક્મિક સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તાઉ’તે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *