Breaking NewsLatest

અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??

અમદાવાદ: અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. સૂચના મળતાની સાથે જ ફાયર અને પોલિસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોપલના શાંતીપુરા પાસે આ ઘટના બની હતી જોકે કોઈ જાનહાની જોવા મળી નહોતી જેથી એક મોટી દુર્ઘટના બનતા અટકી જોવા મળી છે. આ ઘટનાને જોતા બ્રિજના કામકાજ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. રણજિત બિલ્ડકોન ને ઓડા દ્વારા આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મોડી રાત્રે ઔડાના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી થશે ? પણ અહીં એક સવાલ ઉદભવે છે કે જો આ બ્રિજ કાર્યરત હોત તો??? વિચારજો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *