Breaking NewsLatest

અમદાવાદ : વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો

વર્તમાન મહામારીના સમય દરમિયાન કોવિડ દર્દીઓ માટે જીવનરક્ષક પ્લાઝમા ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે ત્યારે પ્લાઝમા શુ છે? કેવી રીતે કોવિડ દર્દીઓ ને એન્ટીબોડી તરીકે રક્ષણ આપે છે? કોણ પ્લાઝ્મા ડોનેટ કરી શકે અને કોણ ન કરી શકે? પ્લાઝ્મા કેવી રીતે બ્લડમાંથી અલગ કરી બાકીનું બ્લડ ડોનર ને પાછું આપવામાં આવે છે અને પ્લાઝમા એક ડોનર કેટલા સમયમાં , કેટલી વાર ડોનેટ કરી શકે તેની મુદ્દાસર અને ઝીણવટભરી માહિતી સૌને મળે અને યોગ્યતા ધરાવતા વ્યક્તિઓ પ્લાઝ્મા ડોનેટ કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવી અવેરનેસ ફેલાવવાના હેતુ થી અમદાવાદ શહેરની એનજીઓ વિ હેલ્પ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું.

આ સાથે સંલગ્ન સંસ્થા થપ્પો ગ્રૂપ અને શરણમ ગ્રુપ ના સભ્યોએ પણ વેબીનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેબીનાર ના સ્પીકર ડો. દિલીપભાઇ શાહ (ગ્રીન ક્રોસ બ્લડ બેન્ક ) અને ડો. રિપલબેન શાહ પ્રથમા બ્લડ સેન્ટર અમદાવાદના મેડિકલ ડિરેક્ટરે પ્લાઝમા અંગે ની ઊંડી સમજ આપી હતી. વેબીનારમાં ડો, રિપલબેન શાહે થેલેસિમિયાના દર્દી માટે બ્લડ બેન્કમાં મર્યાદિત સ્ટોક અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને યુવાનોને રસીકરણ અગાઉ રક્તદાન કરવા આગળ આવવાની વાત કહી હતી. સાથે ડો. કિશોર મહેશ્વરી જે મેડિકલ પ્રથમા બ્લડ સેન્ટર અમદાવાદના મેડિકલ મેનેજર પણ ઉપસ્થિત રહી પ્લાઝમા અંગેની સમજ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *