Breaking NewsLatest

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમા દાખલ થનાર દર્દીની સાથે તેમના સ્વજનો પણ આવતા હોય છે. તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમા હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોનગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપ્ન કરવામાં આવ્યું છે.
હેલ્પ ડેસ્ક પરથી દર્દીની સ્વાસ્થય સંબધી તમામ માહિતી પરિવારજનોને મળી રહે તે માટે ઓડિયો અને વિડિયો કોલિંગ દ્વારા વાતચીત પણ કરાવવામાં આવે છે. અનેક દાતાઓ અને સેવાભાવી સંગઠનો, સંસ્થાઓ દ્વારા દરરોજ અહી આવીને સ્વૈચ્છિક રીતે પોતાના સ્વખર્ચે દ્વારા નાસ્તો,પાણીની બોટલો અને જમવાનું દર્દીના સ્વજનોને આપવા માટે આવે છે. અને તેઓ માત્ર સેવા ભાવનાની મદદથી જ આ કાર્યમા જોડાઈને દર્દીના સગાવ્હાલાઓનો જઠરાગ્નિ ઠારવાનું માનવતાનું કાર્ય કરે છે .
આજે એક સેવાભાવી વ્યક્તિ તરફથી ૨૭૦ જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેનું સંચાલન અને વ્યવસ્થાપન અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કરાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *