Latest

અરવલ્લીમાં જમીન રિ – સર્વેમાં પડતર વાંધા અરજીઓનો નિકાલ ન થતાં રોષ

– 4 વર્ષ વિતવા છતાં 6000 ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ હોવાની ખેડૂતોમાં બૂમ

– રિ – સર્વે દરમિયાન ખેડૂતોના નકશા અને સર્વે નંબર બદલાઇ અન્યના નામે થયાનો આક્ષેપ

અરવલ્લીમાં જમીન રિ – સર્વે દરમિયાન 22 હજાર કરતાં વધુ ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી . જોકે 4 વર્ષ વિતવા છતાં રિ – સર્વે કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે . ભિલોડાના ખેરંચાના અને મોડાસાના વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લાની ડી.એલ.આર કચેરીમાં વાંધા અરજી આપવા છતાં જમીન રિ – સર્વેમાં થયેલી ક્ષતિમાં સુધારો નકશા અને સાત બારના ઉતારામાં સુધારા ન થતાં ખેડૂતો સરકારી લાભોથી તેમજ સહકારી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અને સેવા સહકારી મંડળીમાંથી મળતા કેસીસીના લાભો પણ બંધ થઇ જતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે . જિલ્લાના ડીએલઆર વિભાગ દ્વારા જમીનની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને 15 હજાર કરતાં વધુ વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો . ખેડૂતોના જમીનોના મોટાભાગના પડતર પ્રશ્નો નો સ્થળ ઉપર જઈને નિકાલ કરવા સરકારના આદેશ અનુસાર જિલ્લામાં અભિયાન હાથ ધરાયુ હતું . ત્યારબાદ મોડાસા માલપુર અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાના ખેડૂતોની જમીનોમાં રિ – સર્વેની કામગીરી દરમિયાન સર્વે નંબરમાં ઉલટસૂલટ થયેલા નંબર તેમજ ખેડૂતોને જમીનના મૂળ સર્વે નંબરની જગ્યાના બદલે આ સર્વે નંબર કાકાના અથવા ભાઇના નામે થઈ જતાં ખેડૂતો જિલ્લામાં ડીએલઆર કચેરીમાં રજૂઆત કરી હતી . ખેરંચા અને વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે વર્ષ 2016 તેમજ વર્ષ 2017 માં અને 2018-19માં પણ ખેડૂતોએ જમીન દફતર સુધારણા માટે લેખિતમાં રજૂઆત કરી હતી . પરંતુ પડતર અરજીઓ નિકાલ ન થતાં ખેડૂતોને જમીનનો નકશામાંથી અને ગામની સીમમાંથી ખોવાઈ જતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હોવાની બૂમ ઉઠી છે . ખેડૂતોને જમીનના દસ્તાવેજો અનુસાર ન મળતાં સરકારી લાભો અને સહાય મળવાની બંધ થઈ જતાં પોતાની છતી જમીને ખેડૂતોને રઝળપાટ કરવી પડી રહી છે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 596

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *