Latest

અરવલ્લીમાં જમીન રિ – સર્વેમાં પડતર વાંધા અરજીઓનો નિકાલ ન થતાં રોષ

– 4 વર્ષ વિતવા છતાં 6000 ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ હોવાની ખેડૂતોમાં બૂમ

– રિ – સર્વે દરમિયાન ખેડૂતોના નકશા અને સર્વે નંબર બદલાઇ અન્યના નામે થયાનો આક્ષેપ

અરવલ્લીમાં જમીન રિ – સર્વે દરમિયાન 22 હજાર કરતાં વધુ ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી . જોકે 4 વર્ષ વિતવા છતાં રિ – સર્વે કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે . ભિલોડાના ખેરંચાના અને મોડાસાના વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લાની ડી.એલ.આર કચેરીમાં વાંધા અરજી આપવા છતાં જમીન રિ – સર્વેમાં થયેલી ક્ષતિમાં સુધારો નકશા અને સાત બારના ઉતારામાં સુધારા ન થતાં ખેડૂતો સરકારી લાભોથી તેમજ સહકારી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અને સેવા સહકારી મંડળીમાંથી મળતા કેસીસીના લાભો પણ બંધ થઇ જતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે . જિલ્લાના ડીએલઆર વિભાગ દ્વારા જમીનની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને 15 હજાર કરતાં વધુ વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો . ખેડૂતોના જમીનોના મોટાભાગના પડતર પ્રશ્નો નો સ્થળ ઉપર જઈને નિકાલ કરવા સરકારના આદેશ અનુસાર જિલ્લામાં અભિયાન હાથ ધરાયુ હતું . ત્યારબાદ મોડાસા માલપુર અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાના ખેડૂતોની જમીનોમાં રિ – સર્વેની કામગીરી દરમિયાન સર્વે નંબરમાં ઉલટસૂલટ થયેલા નંબર તેમજ ખેડૂતોને જમીનના મૂળ સર્વે નંબરની જગ્યાના બદલે આ સર્વે નંબર કાકાના અથવા ભાઇના નામે થઈ જતાં ખેડૂતો જિલ્લામાં ડીએલઆર કચેરીમાં રજૂઆત કરી હતી . ખેરંચા અને વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે વર્ષ 2016 તેમજ વર્ષ 2017 માં અને 2018-19માં પણ ખેડૂતોએ જમીન દફતર સુધારણા માટે લેખિતમાં રજૂઆત કરી હતી . પરંતુ પડતર અરજીઓ નિકાલ ન થતાં ખેડૂતોને જમીનનો નકશામાંથી અને ગામની સીમમાંથી ખોવાઈ જતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હોવાની બૂમ ઉઠી છે . ખેડૂતોને જમીનના દસ્તાવેજો અનુસાર ન મળતાં સરકારી લાભો અને સહાય મળવાની બંધ થઈ જતાં પોતાની છતી જમીને ખેડૂતોને રઝળપાટ કરવી પડી રહી છે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *