Latest

અરવલ્લી જિલ્લામાં ૨૪૦૯૪ બાળકોને કૉર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

     કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજ્યમાં ૧૨ થી ૧૪ વય જુથના બાળકોનું કોવિડ વેકસીનેશનનો ૧૬ માર્ચથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ૪૨૭૭૯ બાળકોને આવરી લેવાની આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે આજ સુધીમાં જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષના વય જુથના બાળકોના કોવિડ-૧૯ રસીકરણની ૫૬ ટકા જેટલી પ્રથમ ડોઝની કામગીરી થઇ છે. જેમાં જિલ્લાના ૨૨ માર્ચ ૨૦૨૨ સુધીમાં  ૨૪૦૯૪ બાળકોને નવી કૉર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.
અરવલ્લી જિલ્લાના ૨૦૦ થી વધારે કેન્દ્રો પર આરંભાયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના ૪૨૭૭૯ વધુ બાળકોને આવરી લેવાની આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેમાં આરોગ્ય વિભાગની ૨૦૦ થી વધારે ટીમો દ્રારા કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ વેકસીનેશન શેસનમાં જિલ્લાના ૨૪૦૯૪ વિધાર્થીઓએ નવી કાર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.


કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડો.આર.જી.શ્રીમાળી ની રાહબરી હેઠળ ૧૨ થી ૧૪ વર્ષના વય જુથના બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ” કરવાનું આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા સુનિશ્ચિત આયોજન કરવામાં આવ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *