Latest

અરવલ્લી જિલ્લા ના ધનસુરા ખાતે જી જી આર સી દ્વારા ડ્રિપ ઈરીગેશન દ્વારા ખેતી કરવા માટે ખેડૂતો ને માહિતગાર કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા તાલુકા માં ગવરમેન્ટ ઓફ ગુજરાત માં ચાલતા જી જી આર સી ના પ્રોજેક્ટ માં ખેડૂતો ને ૭૦% સબસીડી ડ્રિપ ઈરીગેશન સિસ્ટમ વસાવવા માટે આપવામાં આવે છે .ધનસુરા તાલુકા માં ઓછી ડ્રિપ થયેલ હોય તેવા ગામો પસંદ કરી જી જી આર સી બરોડા થી એમ.બી.પીઠીયા ,જાગૃતિબેન,ડીમ્પલ બેન તથા સાબરકાંઠા તેમજ અરવલ્લી ના જી જી આર સી ના અધિકારી તુષારભાઈ પરમાર સાહેબ દ્વારા ધનસુરા તાલુકા ના ગામડાઓ માં જઇ મિટિંગ કરવામાં આવી હતી.મિટિંગ માં ગામ માં ખેતી કરતા ખેડૂતો ને એક જગ્યા એ ભેગા કરી ડ્રિપ ઈરીગેશન કરવાથી થતા ફાયદા વિશે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડ્રિપ કરવાથી ઉત્પાદન માં વધારો,મજૂરી માં ફાયદો,પાણી ની બચત,ખાતર ની બચત,વીજળી ની બચત થાય છે.તાલુકા માં જે વિસ્તાર માં કેમ્પેઇનીગ કરી ખેડૂતો માં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા ૭૦% જેટલી સબસિડી આપવામાં આવે છે.તો આ પધ્ધતિ અપનાવવા તથા સરકાર નો લાભ લેવા માટે ખેડૂતો ને નમ્ર અરજ કરવામાં આવી હતી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 584

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *