Breaking NewsLatest

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરતું જામનાગરનું સખી વન સ્ટોપ સેન્ટર.

જામનગર: સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગરનાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.એચ & સી.આર ગાર્ડી આર્ટસ/કોમર્સ કોલેજ-ધ્રોલ ખાતે વિદ્યાર્થીનીઓને મહિલાઓના અધિકારો અને મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સખી-વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમા જણાવાયુ હતુ કે માનવ અધિકાર વિશ્વમાં રહેતા દરેક માનવીને મળેલા કેટલાક વિશેષ અધિકારો છે જે વિશ્વને એકસાથે બાંધે છે તેમજ દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે, લોકોને સ્વતંત્રતા આપે છે. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ શામેલ છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, જ્ઞાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા દમન કરી શકાય નહીં.માનવ અધિકારો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે, તેઓ માનવી પોતાનુ જીવન ખુશીથી જીવી શકે. માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.

કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કિશોરીઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી તેમજ સેન્ટરની કામગીરીથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *