Latest

આજે અરવલ્લીના મોડાસા ખાતે આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના વરદ્દ હસ્તે નવીન નિર્માણ થનાર આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨, સોમવારના રોજ સવારે ૦૯.૩૦ કલાકે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના વરદ્દ હસ્તે જિલ્લા મુખ્ય ન્યાયાલય પાછળ,શામળાજી રોડ,મોડાસા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને જિલ્લા પ્રભારી અને ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ અને સંસદીય મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીડોર વિશેષ ઉપસ્થિત રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *