Breaking NewsLatest

*આજે જિલ્લામાં ૩૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૭૮ દર્દી થયા કોરોનામુક્ત જ્યારે ૧ દર્દીનુ અવસાન*

*જિલ્લામાં નોંધાયેલા ૯૩૬ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ*

ભાવનગર, તા.૧૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૯૩૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના પાલડી ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, મહુવાના મોટા ખુડવડા ગામ ખાતે ૧, મહુવાના તરેડ ગામ ખાતે ૧, મહુવાના નેસવડ ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૨ તથા સિહોરના ભુતિયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૦ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૭૩ અને તાલુકાઓના ૫ એમ કુલ ૭૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૯૩૬ કેસ પૈકી હાલ ૪૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૪૮૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

રિપોર્ટ બાય વિપુલ બારડ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *