Breaking NewsLatest

ઉષા યુ આર ફાઉન્ડેશન દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નું વિતરણ

આપણા દેશભરમાં કરોના જેવી ગંભીર વાઇરસને ચાલતા ઘણા શહેરોમાં લોકડાઉન ચાલી રહ્યા છે, જેમાં ગુજરાત ના અમદાવાદ શહેરમાં સમાજ સેવા કરતી સંસ્થા ઉષા યુ આર ફાઉન્ડેશન આવા કપરા સમયમાં ગરીબોને મદદ કરવા માટે આગળ આવી, આ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમવર્ગ ની મહિલાઓની જરૂરિયાત ને ધ્યાને લઇ ઉષા યુ આર ફાઉન્ડેશન ના પ્રમુખ પ્રિયાંશી રમેશભાઇ વાણા ઉર્ફે પ્રિન્સી ઈન્કલાબ દ્વારા સ્લ્મ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું ભગીરથ કાર્ય કરાઈ રહ્યું છે આ અંગે સંસ્થાના પ્રમુખ પ્રિયાંશી વાણા એ જણાવ્યું હતું કે તેમણે પાંચ હજારથી પણ વધુનું અનાજ ની કીટ નું વિતરણ કર્યું હતું,જેની શરૂઆત ગુજરાતના નાના નાના પછાત ગામડાઓ થી કરી હતી, અને અમદાવાદ શહેરમાં રોડ ઉપર રહેતા ઘણા ગરીબ વર્ગને પણ અનાજની કીટ આપી હતી તેમની ટીમે ગુજરાતના અનેક શહેરો ના અનેક ગરીબ વિસ્તારોમાં જઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વિતરણ કર્યું હતું ,આ સંસ્થા આપણા ભારત દેશના અનેક રાજ્યોના શહેરોમાં કાર્યરત છે,તેમને અનેક શહેરોમાં પોતાની ઓફિસ અને ટીમ ઉભી કરેલ છે જે સમાજને હિતના લગતાં કાર્યો કરે છે..આ સંસ્થા ગરીબ બાળકોના ભણતર, સારા ભવિષ્ય અને મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો કરી રહી છે ટૂંક જ સમયમાં આ સંસ્થા પોતાના અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ચાલુ કરવાની છે..
મહિલાઓ દ્વારા ચાલતી આ સંસ્થા મહિલાઓ માટે કાર્યરત છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *