Breaking NewsLatest

ઊનાના સૈયદ રાજપરા પંચાયતમાં માત્ર 130 રૂપિયા ખર્ચી ઉમેદવાર સરપંચ બની ગયા

( ચા પાણી મતદારોની પીધી. વિવિધ પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપી)

સામાન્ય રીતે ચુંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા
માટે મસમોટો ખર્ચ કરતા હોય છે. પરંતુ ઊનાના સૈયદ રાજપરા ગ્રા. પં. ના નવનિયુક્ત સરપંચે માત્ર 130 રૂપિયાનો ખર્ચ કરી વિજય મેળવ્યો છે.


સૈયદ રાજપરા ગ્રા. પં. માં 34 વર્ષીય ભરતભાઈ વાઘજીભાઈ કામળીયાએ સરપંચ પદે ઉમેદવારી નોધાવી હતી. અને મિત્રોના સહકારથી તમામ વોર્ડમાં પેનલ બનાવી હતી. સામેપક્ષે પણ સક્ષમ ઉમેદવાર ચુંટણીજંગમાં ઉતર્યા હતા. પરંતુ ભરતભાઈ એ કોઈ નેગેટિવ પ્રચાર કર્યો ન હતો. ફકત એક જ વાત કહી હતી કે પાંચ વર્ષ દરમિયાન અમે શું કરીશું. ચુટણીમાં લોકોએ સારા એવા મતથી વિજય થયો હતો. આ ઉમેદવારે ગામમાં 10 દિવસ સુધી મતદારોને મળી સમસ્યાઓ ની વાત કરી હતી. અને ચુંટાશું તો કામ કરવાનો સંકલ્પ લીધો હતો. મતગણતરી દરમિયાન આ ઉમેદવારનાં ખીસ્સામાં 20 રુપિયા હતા અને તેમની પણ પણ પાણીની બોટલ મંગાવી હતી. સ્લીપ અને બેનરનો ખર્ચ તેમના મિત્રોએ કર્યો હતો. ચુંટણી બાદ આગેવાનો તેમનુ હારતોરા કરી સન્માન કરવા ગયા હતા. પરંતુ ભરતભાઈ એ હાર પહેરવાની ના પાડી કહ્યુ હતું કે, જે પૈસા આ હારનાં થાય તેમનું ઘાસ લઈ ગાયોને ખવડાવજો
આ ઉપરાંત ગામમાં પાણીની સમસ્યા તેમજ શાળામાં શિક્ષકોની ઘટને લી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આ પ્રશ્નન નો હલ કરવાની ખાતરી આપી હતુ.

પાયલ બાંભણિયા
ઉના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *