Breaking NewsLatest

કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન

અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા આર્મી દિવસ નિમિત્તે અને 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની સ્વર્ણિમ જયંતિના ભાગરૂપે ‘વિજય દોડ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે અને અન્ય સ્ટેશનો તેમજ કોણાર્ક કોર્પ્સના સ્થળોએ પણ આવા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કોણાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ અનિલ પૂરી, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલએ આ મેરેથોનના માધ્યમથી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યની અજોડ સિદ્ધિના સંદર્ભમાં વ્યાપક જનસમુદાયમાં જાગૃતિ ફેલાવવાનું અને રાષ્ટ્ર માટે કોણાર્ક કોર્પ્સની અવિરત સેવાનો પુનરુચ્ચાર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. નાગરિક સમાજ, અર્ધ લશ્કરી દળો અને ત્રણેય સેવાના કોણાર્ક કોર્પ્સ જવાનો આ હાફ મેરેથોન (21 કિલોમીટર)માં જોડાશે જે તમામ વર્ગો માટે ખુલ્લી રાખવામાં આવી છે.

વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવામાં આવશે અને સંખ્યાબંધ ઉત્સાહિત લોકોએ આ માટેની નોંધણી LS સ્પોર્ટ્સની વેબસાઇટ: /lssports.in દ્વારા તેમજ ગૂગલ એપ સ્ટોર પર ઉપલબ્ધ LS સ્પોર્ટ્સ એપ્લિકેશન દ્વારા કરાવી છે.

આ કાર્યક્રમમાં સામાવેલી અન્ય બે શ્રેણી રૂપે હાફ મેરેથોન ઇન્ટર બટાલિયન સ્પર્ધા અને મહિલાઓ તેમજ બાળકો માટે 10 કિલોમીટરની દોડની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *