Breaking NewsLatest

ગુજરાતમાં નિષ્ણાંતોની સલાહથી ઓફલાઈન શિક્ષણ ચાલું કરવા શિક્ષણવિદોની રજૂઆત..

બોડૅ જાહેરપરીક્ષાઓ ૧૫ દિવસ મોડી કરો
ભાવનગર

ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ નિષ્ણાંતોની સલાહથી ચાલુ કરવાં મુખ્યમંત્રીને શિક્ષણવિદો સવૅશ્રી ડો.આરતી કસ્વેકર(અમદાવાદ)ડો.મહેશ ઠાકર(ભરુચ),શ્રી તખુભાઈ સાંડસુર (ભાવનગર),ડો.વૈશાલી શાહ (કેળવણી પરિષદ -અમદાવાદ),ડો.વિનુભાઈ પટેલ,શ્રી સુખદેવ પટેલ (ગણતર)શ્રી શામજીભાઈ દેસાઈ (પાટણ),શ્રી નમૅદ ત્રિવેદી (સમન્વય) વગેરેએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.
તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નિષ્ણાતોના કહેવા મુજબ ત્રીજી લહેર ને પીક પોઈન્ટ 19 જાન્યુઆરી હતો. ત્યાર પછી કેસ ઝડપથી ધટી રહ્યાં છે અને તે સિલસિલો આજે પણ ચાલુ છે તેથી હવે તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.તા. 28 -1-22 ના રોજ સરકારશ્રીના આંકડા મુજબ કુલ 12100 કેસ પૈકીના લગભગ 8000 કેસ મહાનગરોના હતાં.એટલે કે ગ્રામ્યકક્ષાએ આજે સંક્રમણ 30 ટકા જેટલું પણ નથી. તેથી બધાને શિક્ષણથી વંચિત રાખવા યોગ્ય નથી. એટલું જ નહીં કુલ કેસમાંથી બાળકોને થયેલા સંક્રમણના આંકડાઓ ખૂબ ઓછાં છે.પીક સમયમાં આ આંકડો સંક્રમણના 2% ભાગ જેટલો હતો જે ઘટીને આજે ખૂબ નિમ્નસ્તરે છે.ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા સહિતના રાજ્યોએ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો પ્રારંભ કર્યો છે જ્યાં સૌથી વધારે સંક્રમણ હતું એવું શહેર દિલ્હી જો ઓફલાઈન શિક્ષણ શરૂ કરી શકતું હોય તો આપણે વાયરસ નિષ્ણાંતોના મતને જાણીને તે દિશામાં આગળ વધવું જોઈએ.ત્રીજી લહેર બહુ મોટાં પ્રમાણમાં ઘાતક સાબિત થઇ નથી.ગંભીર દર્દીઓની સંખ્યા પણ ફુલ કેસમાંથી 107,000 માંથી માત્ર 298 છે તે 0.33% છે તે પૈકી બાળકોની સંખ્યા ખૂબ નહિવત હોવાની સંભાવના છે.લગ્ન, સામાજિક મેળાવડાં વગેરે આયોજન પછી પણ બાળકોમાં કોરોના અસર જોવાં મળી નથી. તેથી જલ્દી ઓફલાઈન શિક્ષણ કોરોના ગાઈડ લાઈન સાથે શરું કરવામાં આવે.બોડૅની જાહેર બોડૅ પરીક્ષાઓ 15 દિવસ પાછળ લઈ જઈ અભ્યાસક્રમ સરભર કરવો જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *