Breaking NewsLatest

જામનગરમાં લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ પોતાના જન્મદિવસે લોકોના ઘર સુધી જઈ તેમને પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, જામનગરમાં ૭૮ તથા ૭૯ વિધાનસભાના અંદાજે ૧.૨૫ લાખ જેટલા પરિવારોના મુખ્ય વ્યક્તિઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવેલ છે અને આગામી તા.૧લી ઓગસ્ટે મંત્રી શ્રી આર.સી.ફળદુના જન્મ દિવસે એટલે કે આજથી માત્ર ૭૦ દિવસના ટુંકાગાળમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિમા યોજનાનો તમામ ખર્ચ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રી પૂનમબેન માડમ તથા અમારા દ્વાર ચૂકવી લોકોને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરાયો છે.

આ તકે શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી મનિષભાઈ કટારીયા, મહામંત્રી સર્વે શ્રી મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંમણીયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર સર્વે શ્રી સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, રાજુભાઈ તથા આલાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ લોકોના વિમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીમાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *