Breaking NewsLatest

ડીસા નવજીવન બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ નમૂના બનાવ્યા.

સર્જનાત્મકતા આધારિત નમૂના શિક્ષણ કાર્યમાં ઉપયોગી બનશે ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ.કોલેજ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ નમુના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં તમામ તાલીમાર્થીઓએ સુંદર નમૂના તૈયાર કર્યા હતા.

તાલીમાર્થીઓમાં સર્જનાત્મકતાના ગુણો વિકશે તેવા ઉમદા હેતુથી નવજીવન બી.એડ કોલેજ ખાતે વેસ્ટ માંથી બેસ્ટ નમૂના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સેમેસ્ટર 1અને સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ પોતાના કલા કૌશલ્ય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સુંદર નમૂનાઓ તૈયાર કર્યા હતા આ નમૂનાઓ તેઓને શૈક્ષણિક કાર્યમાં પણ ઉપયોગી થઇ પડશે. સર્જનાત્મકતાના ઉત્તમ નમૂના તૈયાર કરનાર સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોલેજના આચાર્ય  ડૉ.સોનલબેન પ્રજાપતિ, પ્રા.અમિતકુમાર સોલંકી, પ્રા. જયેશભાઇ ઠક્કર, પ્રા. નિરવભાઈ પરમાર, પ્રા.અમિતભાઈ ઠાકર, પ્રા. રમેશભાઈ પટેલ, પ્રા.બીનાબેન પટેલ, લાઈબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, સિનિયર ક્લાર્ક અનાભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

      અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *