Breaking NewsLatest

તાઉ’તે વાવાઝોડા સમયે ધંધુકાની સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી..સંસ્થા અને સ્થાનિક લોકોએ માનવીય અભિગમ દાખવ્યો

અચાનક આવી પડેલી કુદરતી આફત એટલે તાઉ-તે વાવાઝોડું. ૧૭ અને ૧૮ મે – બે દિવસ સુધી વાવાઝોડાની તીવ્ર અસર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામા જોવા મળી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધંધુકા શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૧૩૮૯ જેટલા અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને સલામત જગ્યાએ રહેવા – જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધંધુકા ખાતે ૩ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. જેમાં ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ, સોસાયટી પ્રાથમિક શાળા, અને કુમાર શાળામાં ૩૦૩ લોકોને શીફ્ટ કરવામાં આવ્યા હતા.
શેલ્ટર હોમમાં રાખાયેલ લોકો માટે ધંધુકાની જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફ્થી બંને દિવસ સુધી જમવાનું બનાવીને આપવામાં આવ્યું હતું. તથા ધંધુકા રેલ્વે સ્ટેશન પર કામ કરતા ૯૦ જેટલા શ્રમિકો માટે નજીકમા આવેલી સથવારા સોસાયટીના યુવા ગૃપના યુવાનો, સ્થાનિક દુકાનદારો તરફથી સુકો નાસ્તો, પાણી,અને જમવાની સગવડતાઓ ઉભી કરવામાં આવી હતી. તમામ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા ધંધુકા મામલતદાર કચેરી તરફથી પુરી પાડવામાં આવી હતી.
ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમા રહેલા અસરગ્રસ્તો માટે સરપંચ અને તલાટી તરફથી રહેવા સાથે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *