Breaking NewsLatest

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સાંભળતા એર માર્શલ સંદીપસિંહ AVSM VM.

અમદાવાદ: એર માર્શલ સંદીપ સિંહ AVSM VM એ 01 મે 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-ઇન-C) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 30 એપ્રિલ 2021ના રોજ સેવાનિવૃત્ત થયેલા એરમાર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCના અનુવર્તી છે.
કાર્યભાર સંભાળ્યા બાદ, એરમાર્શલે યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ગાંધીનગર SWAC હેડક્વાર્ટર ખાતે તેમને પ્રભાવશાળી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એર માર્શલને 23 ડિસેમ્બર 1983ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ છે અને શ્રેણી A ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે. એરમાર્શલ પરિચાલન અને વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટમાં એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ ફ્લાઇંગમાં બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. ભારતીય વાયુસેનામાં Su-30 MKI એરક્રાફ્ટ સમાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

વર્તમાન કાર્યભાર સંભાળતા પૂર્વે તેઓ નાયબ ચીફ ઓફ એર સ્ટાફ (DCAS) તરીકે સેવા આપી રહ્યાં હતા. પોતાની વિશિષ્ટ સેવા બદલ તેમને 2006માં વાયુ સેના મેડલ અને 2013માં ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. એરમાર્શલે શ્રીમતી કામિનીસિંહ સાથે લગ્ન કર્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *