Breaking NewsLatest

દીન -૩ વતનને વ્હારે ટીમ ભાવનગર.

આજ રોજ સવારે તળાજા ના મણાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક અને સ્વંમસેવકો સાથે ચર્ચા કરવામા આવી અને દર્દીઓ અને દર્દીઓના સગા સાથે વાર્તાલાપ કરી પોઝીટીવ વાતાવરણ થાય તેવી દર્દીને ગમતા વિષય પર વાતો કરી દર્દી કેવી રીતે દર્દી વહેલી તકે સ્વસ્થ થાય તેવો પ્રયાસ કરવામા આવ્યો.

ત્યારબાદ પાલીતાણા મુકામે ખેડુત ભવન ખાતે સ્થાનીક આગેવાનો સાથે મીટીંગ કરવામા આવી. તેમા ઘનશ્યામ શિહોરા- જીલ્લા પંચાયત પ્રમુખ , ભાજપ ઉપપ્રમુખ અને માર્કેટીંગ યાર્ડ ચેરમેન – પાલીતાણા ,વલ્લભભાઇ ધામેલીયા – પ્રમુખ ખેડુતભવન હીરેનભાઇ વાઘાણી – વેપારી મંડળ પ્રમુખ પાલીતાણા ખેડુત ભવનના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઇ ઘામેલીયા, જનકભાઇ જીવાણી – સેક્રેટરી આપ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ- સુદામા , યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની , સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના ક્રુણાલ રામાણી , ધ્રુવ કસવાલા, મયુર જસાણી , શૈલેશ સવાણી અને ટીમ
સાથે તમામ રાજકીય વિચારો એક બાજુ મુકી હાલ વિસ્તારની જનતા માટે સેવાકાર્યે આગળ આવવા અપીલ કરી હતી. અને સ્થાનીક ઉત્સાહી યુવાનોને સુરત થી વતન વ્હારે આવેલ યુવાનો નુ ઉદાહરાન આપી વિચારોની આપલે કરી વહેલી તકે કેમ આ મહામારી માથી છુટકારો મળે તે માટે કામે લાગવા આગેવાનો દ્વારા જણાવેલ. ત્યારપછી સૌ આગેવાનો અને યુવાન મિત્રો સાથે સુરત થી વતન ને વ્હારે આવેલ ટીમ સાથે ઉતર બુનીયાદી શાળા પાલિતાણા ના સામાજીક અગ્રણી અને વાળુકડ સંસ્થાના સંચાલક દ્વારા આ ઉતર બુનીયાદી શાળા ને આ સેવાકીય યુવાનોને હોસ્પિટલ મા રુપાંતર કરવાની પરમીશન આપવામા આવી હતી.અને ૨૪ કલાક એક એમ્બ્યુલન્સ ની સગવડ કરી આપવામા આવી . જેથી દર્દીઓને સીટીસ્કેન કરવા અને દર્દીઓને બીજી હોસિપ્ટલ મા દર્દીને ફેરવવા માટે ખુબજ મદદરુપ બની . આજુબાજુના ૫૦ કીલોમીટર સુધી થી દર્દીઓ અહી સારવાર લેવા આવી રહ્યા છે. પાણીયારી ગામે ૫૦ બેડ ની નિશુલ્ક ચાલતુ આઇસોલેશનની મુલાકાત લીધી. ત્યા અમને પણ કાઇક નવુ જાણવા મળેલ કે અહી દર્દીઓના બે ઝોન પાડવામા અને રેડ ઝોન અને ગ્રીન ઝોન મા વિતરણ પાડી તમામ પ્રકારની દવા ,ઇન્જેકશન અહી દર્દીઓમે ફ્રી મા આપવામા આવે છે .જેથી ગ્રામ્ય વિસ્તારમા આર્થીક બચત થતા ખુબજ ફાયદાકારક બન્યુ છે. દરેક યુવાનો અને આગેવાન અને દાતાઓની એક ક અપેક્ષા છે કે ગમે તેમ રીતે આ કોરોના સામે લડાઇ લડી વહેલી તકે વિસ્તારમા લોકોનુ સ્વાસ્થય સુધરે તેવી આશા લઇને બેઠા છે.

જનસેવા એજ પ્રભુસેવા
કરભલા , હો ભલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *