Breaking NewsLatest

દેશભરમાં 17 હજાર કિમિ કાપી ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021 પહોંચી અમદાવાદ.

અમદાવાદ: ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021એ દેશભરના ચારેય ખૂણા અને સરહદી વિસ્તારોમાં તેમની સફર દરમિયાન અંદાજે 17,000 કિમીનું અંતર કાપ્યા પછી 16 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. આ અંતર તેમણે છ લેગમાં પૂરું કર્યું છે અને 17 ડિસેમ્બર 2021ના રોજથી તેના અંતિમ અને 7મા લેગનો આરંભ થયો છે.


આ રેલીએ શાહીબાગ ખાતે કેન્દ્રીય વિદ્યાલય નં-1ના શાળાના વિદ્યાર્થીઓ સાથે અને સરકારી પોલિટેકનિકના NCCના કેડેટ્સ સહિત યુવાનો સાથે સંવાદ કરીને દેશના દૂરસ્થ સરહદી વિસ્તારોમાં BRO એ વિકાસના કાર્યોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને દેશભક્તિની ભાવનાને ફરી જગાવી હતી અને તેના નિવૃત્ત કર્મીઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા. રેલીએ યુવાનોમાં BROમાં રહેલી કારકિર્દીની તકો વિશે પણ જાગૃતિ ફેલાવી હતી. બાબા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો વૃદ્ધ નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. મેડિકલ કેમ્પમાં સુલુર હેલિકોપ્ટર દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં દિવંગત CDS જનરલ બિપીન રાવત અને અન્ય 13 લોકો સામેલ હતા.


આ રેલીને આવતીકાલે આર્મી પબ્લિક સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી મુખ્ય અતિથિ ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ મોહિત વાધવા દ્વારા ઝંડી બતાવીને કરવાના કરવામાં આવશે અને તેઓ ભૂજ, બારમેર અને બિકાનેરના રણ તેમજ અમૃતસર અને ફિરોઝપુરના મેદાની પ્રદેશમાં થઇને 25 ડિસેમ્બર 2021 સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *