Breaking NewsLatest

ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે 15 થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓ નું રસીકરણ કરવામાં આવ્યું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દેશ માં 15 થી 18 વર્ષ ના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં પણ વિવિધ જગ્યાએ રસીકરણ યોજાયું હતું ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે 15 થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓ નું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે વિધાર્થી ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આરોગ્ય સ્ટાફ દ્વારા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં નવોદય વિદ્યાલય ના આચાર્ય પ્રવિંદ ક્રીષ્ણન ઉપસ્થિત રહ્યા હતા.અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા આરોગ્ય અધિકારી, ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી અને ભેંસાવાડા મેડિકલ ઓફિસર મૌલિકભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ મહેશભાઇ સહિત ના આરોગ્ય સ્ટાફ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવોદય ના આચાર્ય પ્રવિંદ ક્રીષ્ણન ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *