Breaking NewsLatest

પોંગલનો તેવાર દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુ અને કેરલા નો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે જે વરસાદી માહોલના લીધે ખૂબ પ્રભાવિત થયા છે જેની અસર સુરત ટેક્સ્ટાઇલમાં પણ જોવા મળી રહી છે….

રિપોર્ટિંગ આનંદ ગુરવ (સુરત)

                       કોરોના કાળ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો હતો.દિવાળીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો.દિવાળી બાદ તમિલનાડુ અને કેરલાનો પોંગલ સવથી મોટો તહેવાર કહેવાય છે


દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં વરસાદથી થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયા હોવાને કારણે પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે. બંને રાજ્યો વરસાદી પૂરના કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. જે કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. ઓનલાઈન ઓર્ડર પણ નથી આવી રહ્યા.જેથી સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને પોંગલના તહેવારમાં નુકસાનીનો અંદાજો સેવી રહ્યા છે.

            સાંઈ લીલા હાઉસ સ્ટાફ સારીકા જૈનએ જણાવ્યું હતું કે દિવાળીમાં થયેલા ફેરફારને કારણે વેપારીઓ ખુબ જ ખુશ હતા. દિવાળીની સિઝન બાદ લગ્નસરાની સિઝન પણ ખૂબ જ સારી રીતે જાય તેવી અપેક્ષાઓ વેપારીઓ સેવી રહ્યા હતા. સુરતથી દક્ષિણ ભારતનું એક મોટું માર્કેટ છે કે જેમાં કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે. અચાનક આવેલા વરસાદના કારણે પોંગલના તેવારમાં કરોડની નુકસાની આવે તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પોંગલના તહેવારમાં સારો વેપાર થતો હોય છે. તમિલનાડુ અને કેરળમાં જનજીવન ઉપર માઠી અસર થવાને કારણે ત્યાં વેપારીઓ માર્કેટ ખુલી શકે તેમ નથી. અને નવા ઓર્ડર પણ નથી મળી રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *