Breaking NewsLatest

પ્રખર ખગોળ શાસ્ત્રી અને ગુજરાતના ખેડૂતોમાં નામના ધરાવતા એવા પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચમાં જોડાયા

કિસાનોમાં નામના ધરાવતા પરેશભાઈ ગોસ્વામીને જન અધિકાર મંચની કિસાન સમિતિના ગુજરાત કન્વીનર તરીકે પ્રવિણ રામ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા

       પરેશભાઈ ગોસ્વામી એક પ્રખર ખગોળ શાસ્ત્રી છે એમના દ્વારા અપાયેલી મોટા ભાગની આગાહીઓ સાચી પડે છે તેમજ એમના દ્વારા ખેડૂતોના હિત માટે સરકારમાં કરવામાં આવતી રજુવાતો, ખેડૂતોને આપવામાં આવતા યોગ્ય માર્ગદર્શનના કારણે પરેશભાઈ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં મોટી નામના ધરાવતા વ્યક્તિ છે,ત્યારે આવા પ્રબળ નામના ધરાવતા વ્યક્તિ પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચ માં જોડાયા, મચમા જોડાતાની સાથે જ પ્રવીણભાઇ રામ દ્વારા પરેશભાઈ ગોસ્વામીને કિસાન સમિતિના રાજ્યના મુખ્ય કન્વીનર તરીકેની મહત્વની જવાબદારી અપાતા ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
જન અધિકાર મંચ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું મજબૂત સંગઠન છે , જે સંગઠન દ્વારા પ્રવીણભાઇ રામની આગેવાનીમાં કર્મચારીઓ , બેરોજગાર યુવાનો, ખેડૂતો અને શોષિત જનતા માટે અનેક આંદોલનો કરવામાં આવ્યા અને મોટા ભાગના આંદોલનમાં સફળતા મેળવી લોકોને લાભ અપાવ્યો , હાલ જન અધિકાર મંચ નું જિલ્લા ,તાલુકા અને ગ્રામ્ય લેવલ સુધીનું સંગઠનના વિસ્તૃતિકરણનું કામ ચાલુ છે ત્યારે આ પ્રોગ્રામ અંતર્ગત પ્રખર ખગોળ શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી ગઈ કાલે જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઇ રામ, રાજ્ય પ્રવકતા જીગ્નેશ કડોરિયા અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ વાળાની હાજરીમાં જોડાતા જન અધિકાર મંચ આગામી દિવસોમાં ખેડૂતોના હિત માટે પરેશભાઈની આગેવાની હેઠળ મજબૂત પ્રોગ્રામો આપશે એવો વિશ્વાસ પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઇ રામ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *