Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક લેશે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની મુલાકાત

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *