ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર
અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…
ગઢડા: નગરપાલિકા આયોજિત ‘સ્વદેશી મેળા’ની શહેર ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી
સ્થાનિક કલાકારો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા તેમજ 'વોકલ ફોર…
PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના આદેશ…
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…
બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી દશરથસિંહ ઠાકોરનું ભવ્ય સ્વાગત: સંગઠનને મજબૂત કરવા…
શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..
ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા…
ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપતી ગોધરા નગરપાલિકા
પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘શહેરી વિકાસ વર્ષ…
















