ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…