ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…