ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…