Latest

રણેચી ગામ ગ્રામ પંચાયતમાં સોલાર સ્ટ્રીટ લાઈટનાપોલના બીલના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

બાયડના રણેચી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની સિલસોલો યથાવત
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

બાયડ તાલુકા ના રણેચી ગામ માં એક પછી એક સરકાર ની વિકાસની ગ્રાન્ટો માં ભ્રષ્ટાચાર ની વિગત સામે આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ઘેરઘેર દ્વારા ચાર જુદાં જુદાં વિભાગ ના ઉચ્ચ અધિકારી ની ટીમ નિમણૂક કરવામાં આવી છે પણ એક પછી એક રહેચી ગામની ગ્રામ પંચાયત માં ઉચાપત સામે આવી રહી છે . મળતી માહિતી મુજબ , રણેચી ગામ ના જાગૃત નાગરિક વિક્રમભાઈ ભીખાભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૧૪ માં સોલાર સીસ્ટમ ( સોલાર પોલ / થાંભલા ) ની સરકારી વિકાસ ની ગ્રાન્ટ ની ફાળવામાં આવી હતી અને સોલાર સીસ્ટમ ના બીલ / પાવતી પણ રણેચી ગ્રામ પંચાયત માં મુકવામાં આવ્યા હતા જે તદન ખોટા બીલ / પાવતી રજુ શ્રીનાથજી સોલાર સીસ્ટમ બાયડ ડીલર ના ત્યાં નું સોલાર સ્ટ્રીટ લાઈટ રણેથી ગ્રામ પંચાયત ના પોલ એમ કુલ રકમ ૩,૦૦,૦૦૦ , / અંકે રૂપિયાનું બીલપાવતી રણેચી ગ્રામ પંચાયત માં મુકવામાં આવ્યું છે જે તદન ખોટા બીલો રજુ કરવામાં આવ્યા અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે . રણેચી ગામના વિક્રમભાઈ ભીખાભાઈ પટેલએ શ્રીનાથજી સોલાર સીસ્ટમ ના માલિક ને બીલ તેમજ પાવતી બતાવામાં આવ્યું હતું જે બીલ સાચું છે કે ખોટું બીલ છે તેની ચકાસણી કરતા બીલ / પાવતી નં- ૨૪ તા ૧૨/૦૮/૨૦૧૪ નું ૨ કમ ૩,00,000 અંકે રૂપિયાનું બીલ તથા બીલ પાવતી નં- ૨૬ તા ૧૩/૦૮/૨૦૧૪ નું રકમ ૧,૮૭,૨૦૦ અંકે રૂપિયાનું બીલ જે શ્રીનાથજી સોલાર સીસ્ટમ બાયડ દુકાન નું રણેચી ગ્રામ પંચાયત માં ફાઈલ માં મુકવામાં આવ્યું છે તે બીલ પાવતી ની ચકાસણી કરતા શ્રીનાજી સોલાર સીસ્ટમ બાયડ માલિક દ્વારા કેહવામાં આવ્યું હતું કે મારા ત્યાં નું આવું કોઈ બીલ કે પાવતી આપવામાં આવી નથી આ બીલ અને પાવતી ખોટી છે જે મારા ત્યાં નું નથી અને આ બીલ પર રેવન્યુ ટીકીટ પર મારી સહી તેમજ સિક્કા પણ મારા ત્યાના નથી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *