Breaking NewsLatest

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા અંબાજી મંદિર ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠ માં આદ્યશક્તિ પીઠ તરીકે જાણીતું છે અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોઈ અને મા અંબાની પૂનમ હોય વહેલી સવારથી માઇ ભકતોનો ભારે ધસારો મંદિર ખાતે જોવા મળ્યો હતો. આજે બપોર બાદ પાલનપુર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા અંબાજી ખાતે આવીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં સફાઈ કર્મચારીઓ સહિત વિવિધ લોકો ને રાખડી બાંધવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા દાંતા તાલુકા સંયોજક જલ્પાબેન દરજી, અંબાજી તાલુકા સંયોજીકા હજારીબેન પરમાર સાથે અન્ય બહેનો દ્વારા રક્ષાબંધન બંધન ના પાવન પર્વે અને પૂનમ ના દિવસે અંબાજી મંદિર ના પ્રાંગણમા સફાઈ કર્મચારીઓ, મંદિરના પૂજારીઓ પોલીસ સ્ટાફ, જીઆઇએસએફએસ સ્ટાફ અને એસઆરપી જવાનોને તેમજ બીજા અન્ય લોકોને રક્ષા કવચ એવી રાખડી બાંધી ને સમરસતા નું ઉદાહરણ પૂરું પાડીને રક્ષાબંધન પર્વ ઉજવવામા આવ્યું હતું

 

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *