Breaking NewsLatest

સંસ્કૃત ભારતની રાષ્ટ્રભાષા હોવી જોઈએ: ડો. બાબાસાહેબ આંબેડકર

સંસ્કૃતભારતીના સંપર્ક વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન માળામાં “સંસ્કૃત પ્રેમી ડો. બાબાસાહેબ આંબેડકર” વિશે બોલતાં તેમના સમગ્ર ચિંતનના ઊંડા અભ્યાસુ અને રાષ્ટ્રવાદી પત્રકાર શ્રી કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે કમનસીબે આપણે બાબાસાહેબને “દલિત નેતા” કે “બંધારણના ઘડવૈયા” ના ચોકઠામાં બેસાડી દીધા છે, પરંતુ તેમનું સમગ્ર ચિંતન તો સંસ્કૃતિ, સભ્યતા અને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને થયેલું છે.

રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ માટે “સંસ્કૃત ભારતની રાષ્ટ્રભાષા હોવી જોઈએ” એ પ્રસ્તાવ બંધારણસભામાં સૌ પ્રથમ લાવનાર તો ડો. આંબેડકર હતા. કમનસીબે એ પ્રસ્તાવ ન સ્વીકારાયો ત્યારે તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મેમોરેન્ડમ આપતા ત્રણ સૂચનો કર્યાં હતાં જેમાંનું પહેલું સૂચન “સંસ્કૃતને ભારત રાષ્ટ્રની અધિકૃત ભાષા બનાવવી જોઈએ.” રાજભાષા તરીકે હિન્દી અથવા અંગ્રેજીના મતને સ્વીકારતાં તેમણે બીજી માગણી કરી હતી કે સ્વતંત્રતાના 15 વર્ષ સુધી જ અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે રહેવી જોઈએ, તેના સમાનાંતર સંસ્કૃત ભાષાને
શીખવવી જોઈએ. અને ત્રીજી માગણી રજૂ કરતાં કહ્યું હતું કે “અંગ્રેજીને માત્ર પંદર વર્ષ સુધી જ રાખીશું” એવો કાયદો બનાવવો જોઈએ.
શ્રી કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે જો આ કાયદો બન્યો હોત તો આજે સંસ્કૃત અધિકૃત રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હોત.

માત્ર એટલું જ નહીં તેમણે પોતાની રાજકીય પાર્ટી “શીડ્યુલ કાસ્ટ ફેડરેશન”માં સંસ્કૃતના રાષ્ટ્રભાષા તરીકેના ઠરાવ વિશે તર્કપૂર્ણ દલીલો વ્યક્ત કરીને “સંસ્કૃત જ શા માટે રાષ્ટ્રભાષા હોવી જોઈએ?” તે પાર્ટીના સભ્યોને સમજાવ્યું હતું, અને પોતાને સંસ્કૃતનું વિધિવત્ જ્ઞાન પ્રાપ્ત નહોતું થયું તેનો ખેદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સંસ્કૃતભારતીના ટ્રસ્ટી શ્રી ભાગ્યેશ ઝાએ વક્તાનો પરિચય આપ્યો હતો‌.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આનંદ પંડ્યા અને આભાર દર્શન પ્રો. દિપક આદ્રોજાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ. ડૉ. આશિષ દવેએ કર્યું હતું.

પ્રેષક:

ડૉ.શ્રુતિ ત્રિવેદી
પશ્ચિમક્ષેત્ર પ્રચારપ્રમુખ
સંસ્કૃતભારતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *