અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ‘ધન પ્રસાદ’ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો છે. આ માછીમારને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, પીપાવાવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમને જાફરાબાદના માછીમાર એસોસિએશન તરફથી સંદેશો મળ્યો હતો કે, તેમનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત સ્થિતિમાં છે. આ માહિતી પ્રાપ્ત થતા જ, ICGએ સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેઇલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું. ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ ઓપરેશન પછી, ICGના હેલિકોપ્ટરને હોડી મળી આવી હતી અને તેમણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે ICGના જહાજને મદદ કરી હતી. ICGના જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારીની હોડી પર મોકલી હતી અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, ICGનું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો. માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 48 કલાકમાં આ બીજી એવી ઘટના છે જેમાં ઇજાગ્રસ્ત માછીમારને ICG દ્વારા સમુદ્રમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.
સમુદ્રમાં ઇજાગ્રસ્ત બેભાન થયેલ માછીમારનો જીવ બચાવતું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો
દરેક શહેરના વિજેતા સ્પર્ધકોને ખૂબ જ ઉત્સાહ વચ્ચે તાજ પહેરાવવામાં આવ્યા કપિલ પટેલ…