અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ‘ધન પ્રસાદ’ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો છે. આ માછીમારને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, પીપાવાવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમને જાફરાબાદના માછીમાર એસોસિએશન તરફથી સંદેશો મળ્યો હતો કે, તેમનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત સ્થિતિમાં છે. આ માહિતી પ્રાપ્ત થતા જ, ICGએ સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેઇલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું. ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ ઓપરેશન પછી, ICGના હેલિકોપ્ટરને હોડી મળી આવી હતી અને તેમણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે ICGના જહાજને મદદ કરી હતી. ICGના જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારીની હોડી પર મોકલી હતી અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, ICGનું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો. માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 48 કલાકમાં આ બીજી એવી ઘટના છે જેમાં ઇજાગ્રસ્ત માછીમારને ICG દ્વારા સમુદ્રમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.
સમુદ્રમાં ઇજાગ્રસ્ત બેભાન થયેલ માછીમારનો જીવ બચાવતું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
Related Posts
અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!
વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરના ૬૦ એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ…