Breaking NewsLatest

સાચા સમાજ સેવકની પ્રતિતી કરાવતા આરોગ્યમંત્રી.અંગદાતાના આંગણે જઇ પરીવારને સાંત્વના પાઠવી.

અમદાવાદ: આરોગ્ય પ્રધાન શ્રી ઋષિકેષ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના આંગણે જઈ પરિવારજનોને સાંત્વના આપી હતી.

મંત્રીશ્રી એ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં હાજરી આપી હતી.
આરોગ્ય મંત્રી શ્રીએ ભાવનાબેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવાકાર્ય બદલ તેમના સ્વજનોનું સન્માન પણ કર્યું હતું. પરિવારજનોએ કરેલા અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય રાજ્યના અનેક પરિવારો માટે ઉદાહરણરૂપ બની રહેશે એવો ભાવ મંત્રીશ્રીએ આ ભાવુક ક્ષણે પ્રગટ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ભાવનાબેન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો.
અંગદાનમાં બે કીડની અને લિવરનું દાન પ્રાપ્ત થયું હતું. જે અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.જેના થકી જરૂરિયાત મંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *