Breaking NewsLatest

સાબરકાંઠાની ૧૯૨૨ આંગણવાડીઓ ફરી ભૂલકાઓથી ધમધમી જિલ્લાના ૪૦,૦૦૦ થી વધુ ભૂલકાઓ આંગણવાડીએ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ૧૯૨૨ આંગણવાડીઓ ભૂલકા વિહોણી હતી. જે હવે ફરીથી ધમધમી છે. નાના બાળકોને આંગણવાડીમાં ફુલ આપીને ભારતીય પરંપરા મુજબ આવકારવામાં આવ્યા હતા. જિલ્લામાં આશરે ૪૦,૦૦૦ થી વધુ ભૂલકાઓ આંગણવાડીમાં જોડાયા હતા. આ બાળકોને કોરોના મહામારીના સંક્રમણથી બચાવવા માટે સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં આંગણવાડીઓ બંધ કરવામાં આવી હતી. જે હવે ફરીથી ફુલડારૂપી બાળકોથી ધમધમતી થઈ છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે શાળા- કોલેજોનું શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવામાં આવ્યું હતું જે થોડા સમય પહેલા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આંગણવાડીઓમાં પણ બાળકોને આવકારવામાં આવ્યા હતા. નાના બાળકોને આંગણવાડી બહેનો દ્રારા કેન્દ્રમાં નાસ્તો કરાવતા પહેલા ફરજીયાત હાથ સાફ કરાવવા અને બાળક આંગણવાડીમાં રહે તે દરમિયાન માસ્ક પહેરી રાખે તે માટે સમજાવવામાં આવ્યા હતા. બાળકોને આંગણવાડીમાં પોષણયુક્ત આહાર આપવાની સાથે સુંદર મજાનું વાતાવરણ પુરૂ પાડવામાં આવશે. જે બાળ વિકાસ માટે ખુબ જ જરૂરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *