જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી
વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ…
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની…
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..
નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક…
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
















