જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…
બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી દશરથસિંહ ઠાકોરનું ભવ્ય સ્વાગત: સંગઠનને મજબૂત કરવા…
શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..
ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા…
ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપતી ગોધરા નગરપાલિકા
પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘શહેરી વિકાસ વર્ષ…
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો
એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન
ડોક્ટર, આર્કિટેક્ટ અને ૧૩ એન્જિનિયરો સહિત ૩૩ યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Patriot Human Hours Bank) નો વડોદરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.
પૈસાની બેન્ક વિશે સાંભળ્યું છે, બ્લડ બેન્ક વિશે સાંભળ્યું છે પરંતુ સેવા માટે…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદુ ધર્મ સર્વ સમાજ ના સમુહ લગ્નમાં જોડાયેલ દીકરીઓને ખ્યાતનામ ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરેલ હેન્ડમેડ ચણિયાચોળી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો
આવનાર તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ દાદા બાપુ ધામ પચ્છમ નો ચતુર્થ પાટોત્સવ નિમિત્તે પાંચ…
અમિત પટેલ દ્વારા પાર્વતી પ્રણામ નું કૌભાંડ સૌથી પહેલા આધાર પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી, આવનારા સમયમા બીજા કૌભાંડ બહાર લાવીશુ
અમિત પટેલ ના અહેવાલોની ધારધાર અસર પાર્વતીના બિલ્ડરોએ ગેર કાયદેસર રસ્તો બતાવી…
બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…
















