જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…