જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૨,૬૫,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે
રવિવારે સેંજલધામ ખાતે સૌરાષ્ટ કચ્છના સંતો મહંતોની હાજરીમાં ધ્યાનસ્વામીબાપા…
વાવ-થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન યોજાયું..
પ્રદેશ - જિલ્લા -- ઝોન -- મહિલા વિંગ ની હાજરી ના અધિવેશન અધ્યક્ષ પદે શ્રી…
દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી
૭૭માં પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથના તાલાલાના આંગણે સહકારી મિલ કમ્પાઉન્ડમાં…
કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને…
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ - અમદાવાદ દ્વારા…
અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.
અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ. ૭૨…
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિક્રમ સંવત…
સશસ્ત્ર દળો અને નાગરિક સેવાઓ વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ સંયુક્ત તાલીમનું થયું સમાપન
ભુજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રધાનમંત્રીના નિર્દેશો પર, ભારતીય વાયુસેનાએ ભૂજના…
















