Latest

બનાસકાંઠા 108 એમ્બ્યુલન્સની ટીમે એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી,યમરાજાને પણ પાછા ફરવું પડે તેવી બનાસકાંઠા 108ની ટીમને સો સો સલામ

બનાસકાંઠા 108ની ટીમે એક વર્ષમાં યમરાજાને હંફાવી 36998 માનવ જીંદગીઓ બચાવી હતી.જેમાં 274 પ્રસૂતિ કરાવી માતા- બાળકોના જીવ બચાવ્યા હતા.

જીલ્લામાં કુલ 29 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે.બનાસકાંઠા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં જુદાજુદા લોકેશન ઉપર અધત્તન સુવિધા ધરાવતી 29 એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાત દિવસ ફરજ બજાવતાં કર્મચારીઓએ એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી છે.

જેમાં સગર્ભાવસ્થાના 17605 કેસ, રોડ અકસ્માત 5421, અકસ્માત 3236, છાતી માં દુખાવો 994 કેસ, શ્વાસની તકલીફ 1764, તાવ 1024, પેટમાં દુખાવો 2885 કેસ, ઝેરી દવા પીવાના 754 તેમજ અન્ય 3315 કેસનો સમાવેશ થાય છે.

:- ઘટનાસ્થળે અને ૧૦૮ એમ્બ્યુલન્સ મા 274 જેટલી સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકની જીંદગી બચાવી હતી:-

ઉત્તરાયણ ઉપર સાવચેતી રાખવા અપીલ બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નિખિલ પટેલે જણાવ્યું હતું કે, ઉતરાયણના પર્વની ઉજવણી સાથે આપણી સલામતી રાખીશું. જેમાં ખુલ્લા ધાબા પર પતંગ સાચવીને ચગાવવી,

વીજ થાંભલા કે જીવંત વાયર પર પડેલી પતંગને ન અડવું કે લેવી, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કે સેફ્ટી ગાર્ડ નો ઉપયોગ કરવો, ચાયનીઝ દોરી નો ઉપયોગ ન કરવો, ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે 108 અને દોરી થી ઘવાયેલ પક્ષી માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ઉપર કોલ કરવો

દાંતા તાલુકાના ટુંડીયા 108ની ટીમે સર્પદંશના કેસમાં દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઝડપી સારવાર સાથે 9 એ.એસ.વી. ઇંન્જેકશન આપી જીવન બચાવી લીધુ હતુ. Saviour(તારણહાર) કેસમાં સમગ્ર ગુજરાત માંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા 108 ની પસંદગી કરવામાં આવી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *